Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભાવનગરમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો

૭૨ વર્ષના ઇકબાલભાઇ ઉસ્માનભાઇ મેમણનું મોત થતા કુલ મૃત્યુઆંક ૮

ભાવનગર તા. ૧૫ : ભાવનગરમાં કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છે. આ સાથે ભાવનગરમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને ૮ થયો છે.

ભાવનગરમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો છે. હજુ ગઇ કાલે જ શહેરનાં વડવા પાદરદેવકી ચબૂતરા પાસે રહેતા ઇકબાલભાઇ ઉસ્માનભાઇ મેમણ (ઉ.૭૨)નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દીનું આજે સવારે મોત નિપજ્યું છે. આમ પોઝિટિવ રીપોર્ટ આવ્યાના ૨૪ કલાકમાં જ આ વૃધ્ધનું મોત નિપજ્યું છે. આ સાથે ભાવનગરમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને ૮ થયો છે.

અત્યાર સુધી ભાવનગરમાં કુલ ૧૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૮ના મોત નિપજતાં અને ૬૫ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે. હવે માત્ર ૨૯ દર્દીઓ જ સારવારમાં રહ્યા છે.

(10:36 am IST)