Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

માધુપુર ગીર ગઢડામા પથ્થર હટાવવા બાબતે કુંવરબેન બાવરીયાને દિયરે કુહાડી ઝીંકી દીધી

રાજકોટ તા ૧૫ : ગીર સોમનાથના માધુપુર ગીરગઢડા ગામમાં રહેતા પ્રોૈઢાને પથ્થર હટાવવા બનબતે ઝઘડો કરી દીયરે કુહાડી વડે હુમલો કરતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

મળતી વિગત મુજબ માધુપુર ગીરગઢડા ગામમાં રહેતા કુંવરબેન પ્રભુદાસભાઇ બાવરીયા ગઇકાલે પોતાના ઘર પાસે હતા ત્યારે તેનો દીયર રાજેશભાઇ જેરામભાઇ બાવરીયા પથ્થર હટાવતો હોઇ, તેથી તેણે પથ્થર હટાવવાની ના  પાડતા રાજેશે ઉશ્કેરાઇને કુંજરબેન ને માથામાં કુહાડી ઝીંકી ઇજા કરી ભાગી ગયો હતો બાદ કુવરબેન ને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે. આ અંગે પોલીસ ે તપાસ આદરી છે.

(2:37 pm IST)