Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કચ્છના ૪ મામલતદારોએ મિલ્કત જાહેર ન કરતા પગાર અટકાવાયોઃ અંતે ઓનલાઈન મિલ્કત જાહેર

ભૂજ, તા. ૧૫ :. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા હુકમને પગલે રાજ્યના મુખ્ય સચિવે કરેલા આદેશ મુજબ વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ પૈકી જે કોઈ પોતાની મિલ્કતો જાહેર નહીં કરે તેમનો પગાર અટકાવાશે. આ સૂચના બાદ કચ્છમાં ફરજ બજાવતા ચાર મામલતદારો ભુજના શ્રી રોહીત, અંજારના જે.એચ. ચારકોટ, ગાંધીધામના એસ.સી. શાહ અને અબડાસાના વી.બી. પૂજારાએ મિલ્કતો અંગે માહિતી આપવાની ગંભીરતા ન દાખવતા તેમના પગાર અટકાવાયા હતા. જો કે ત્યાર બાદ આ ચારેય મામલતદારોએ અંતે પોતાની મિલ્કતોની માહિતી ઓનલાઈન જાહેર કરી દીધી છે.

(12:03 pm IST)