Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

પોરબંદરના વિંઝરાણામાં ડો. બાબા સાહેબ આંબેડકર જયંતીએ ર૦૦ માણસોનું ટોળુ ભેગુ કરનારા ૧૦ આગેવાનો સામે પોલીસ ફરિયાદ

સરકારની કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવાનું આગેવાનોને કહેતા પોલીસને ધમકી આપીને ફરજમાં રૂકાવટ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧પ :.. બગવદર તાબાના વિઝરાણામાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીએ ૧પ૦ થી ર૦૦ માણસોનું ટોળુ ભેગુ કરનાર ૧૦ આગેવાનો સામે સરકારની કોરોના ગાઇડ લાઇનનો ભંગ તથા કલેકટરના જાહેરનામા ભંગની પોલીસ ફરીયાદ થતાં પોલીસે ગુન્હો નોંધીને કાર્યવાહી કરી છે.વિંઝરાણામાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીએ સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ લોકોએ એકઠા થવા ઉપર પ્રતિબંધ છતાં ૧પ૦ થી ર૦૦ લોકોનું ટોળુ ભેગુ કરનારા સૂમનભાઇ બેચરભાઇ ચાવડા, રામાભાઇ બથવાર, જેઠાભાઇ વનાભાઇ ચાવડા, માલદે ચાવડા, માધા સીંધા રાઠોડ, માલદે સોમા, સોમા શીંગરખીયા, મનસુખ છગન, રામજી વેજાભાઇ તથા વૃજલાલભાઇ સામે સરકારની કોરાના ગાઇડ લાઇન નિયમ ભંગ તથા કલેકટરના જાહેરનામા ભંગ કર્યા તેમની સામે પોલીસ ફરીયાદ નોંધી ગુન્હો નોંધ્યો છે.

ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીએ કોરોના ગાઇડ લાઇન પ્રમાણે ટોળા ભેગા ન કરવા પોલીસે આગેવાનોને સમજાવતા આગેવાનોએ પોલીસને ધમકી આપ્યાનું પોલીસ ફરીયાદમાં જણાવેલ છે.

(12:50 pm IST)