Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

રંઘોળા અકસ્માતગ્રસ્ત વધુ એક યુવકનું મોતઃ મૃત્યુ આંક ૪૦

ભાવનગર તા. ૧પઃ રંઘોળા અકસ્માત દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત પૈકી વધુ એકનું મોત નિપજતાં આ દુર્ઘટનાનો મૃત્યુઆંક ૪૦ સુધી પહોંચી ગયો છે.

ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર રંઘોળા પાસે જાનૈયા ભરેલો ટ્રક પુલથી નીચે ખાબકતાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ઇજા પામેલી વધુ એકનું આજે મોત નિપજતાં આ બનાવનો મૃત્યુ આંક ૪૦ સુધી પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે આ બનાવ અંગે દેશનાં વડાપ્રધાન મોદીએ પણ દુઃખની લાગણી વ્યકત કરી વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકો અને ઇજાગ્રસ્તોને સહાય જાહેર કરી છે અને રાજય સરકારે પણ સહાય કરી છે આજે જે ઇજાગ્રસ્તનું મોત નિપજયું છે તે મનીષ ભગવાનભાઇ પરમાર ઉ.વ. ૧૭ (રહે. પીપળીયા-સિહોર) છે.

(3:54 pm IST)