Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

રાણાવાવ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા તરીકે વિંજાભાઇ મોઢવાડીયા

આદિત્યાણા તા. ૧પ :.. રાણાવાવ સંયુકત નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે પ્રથમ વખત યુવા નેતા વિંજાભાઇ રામદેભાઇ મોઢવાડીયાની ભાજપ મોવડી મંડળે  પસંદગી કરી છે.

રાણાવાવ ખાતે મળેલ મીટીંગમાં વિંજાભાઇની નામની વિરોધ પક્ષના નેતા તરીકે ઘોષણા કરવામાં આવેલ હતી.

ભાજપના કાર્યકરો અને પક્ષના આગેવાનો દ્વારા વિંજાભાઇને શુભેચ્છાઓ આપવામાં આવેલ હતી.

વિંજાભાઇની ગણના આદિત્યાણામાં ૧૦૮ તરીકે કરવામાં આવે છે. નાના મોટા કોઇપણ માણસને કામ હોઇ રાત્રે પણ ફોન કરવામાં આવે તો તે હાજર થઇ લોકોના કામ કરી આપે છે. અને લોકોના દુઃખ દર્દ દૂર કરે છે. નાના અને મજૂર વર્ગમાં તેઓની લોકચાહના છે. આદિત્યાણામાં લોકોએ ફટાકડા ફોડી આ નિમણુંકને વધાવેલ હતી. (પ-૧ર)

(1:12 pm IST)