Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

કામનું અસહ્ય ભારણઃ ગુજરાત જીઇબી એન્જીનિયર્સ એસો. દ્વારા હડતાલની ચિમકી

મોરબી તા. ૧૫ : છેલ્લા ઘણા સમય થી જીયુવીએનએલની નીતિ સામે જીઈબી એન્જિનિયર્સ એસોશિયેશન દ્વારા વિરોધ થઈ રહ્યો છે. જીબિઆએ અગાઉ જીયુવીએનએલ સામે વિરોધ કાર્યક્રમો આપ્યા છે અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો જેમાં હડતાલ સહિતના વિરોધના કાર્યક્રમો આપવામાં આવશે.

જીબીઆના જનરલ સેક્રેટરી બિપીન શાહના જણાવ્યા મુજબ વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓની મહેનતના પરિણામરૂપે વીજકંપનીની રેવન્યુમાં ચાર ગણો વધારો થયો છે છતા તેઓની સાથે પગાર સુધારણા મુદ્દે અન્ય કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત વીજ કંપનીમાં ખાલી પડેલી પડેલી જગ્યાઓ પણ ભરવામાં આવતી નથી. ગુજરાત રાજય ઉર્જા ક્ષેત્રે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે. છેલ્લા ૧૦-૧૫ વર્ષોમાં રાજયમાં ઉર્જા ક્ષેત્રે ઘણો જ વિકાસ થયેલ છે. જે વિકાસમાં રાજય સરકારની નિતીઓ અને ઈજનેરો તેમજ અધીકારીઓનો સિંહ ફાંળો રહેલો છે. વર્ષ ૨૦૦૫ની સરખામણીએ વર્ષ ૨૦૧૮ સુધીમાં વીજ ક્ષેત્રે બમણાથી વધુ વિકાસ નોંધાયેલ છે. વર્ષ ૨૦૦૫માં ગુજરાત રાજય વીજળી ઉત્પાદન ક્ષેત્રે પરાવલંબીત હતું. પરંતુ ત્યારબાદ નવા પાવર જનરેશન મથકો ઊભા કરવા, હયાત થર્મલ અને ગેસ પાવર સ્ટેશનોમાં સુધારણા કરવા તેમજ વિવિધ યોજનાઓ જેવી કે સોલાર પાવર, વિન્ડ પાવર, બાયોમાસ પાવર ઉત્પાદન ના કારણે આજે રાજયની વીજળી ઉત્પાદન શકિત અંદાજે ૧૪૦૦૦ મેગાવોટ થી વધીને ૨૭૦૦૦ મેગાવોટ થવા પામેલ છે. જેના કારણે રાજય વીજળી ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. સરપલ્સ રાજય બનેલ છે.

રાજયના ૩૩ જીલ્લાઓ અને ૨૪૮ તાલુકાઓમાં વીજ વિતરણ માટેની ૧૧ કેવી લાઈનો અને હળવા દબાણ ની એલટી લાઈનો વધીને વર્ષ ૨૦૧૭માં ૭,૩૫,૫૩૫ કી.મી. તેમજ ટ્રાન્સફોર્મર ની સંખ્યા ૧૪,૨૩.૦૦૦ થયેલ છે. ૧૧ કેવી વીજ ફીડરોની સંખ્યા વધીને ૧૮૦૦૦ જેટલી થવા જાય છે. તેમજ ગ્રાહકોની સંખ્યા વર્ષ ૨૦૦૫માં ૮૨,૦૦.૦૦૦ માંથી વધીને વર્ષ ૨૦૧૭માં ૧,૩૫,૦૦,૦૦૦ જેટલો વધારો થયેલ છે. સાથો સાથ રાજયની જીયુવીએનએલ કંપનીની રેવન્યુ વર્ષ ૨૦૦૫ રૂધીયા ૯,૯૮૫ કરોડ થી વધીને વર્ષ ૨૦૧૭ સુધીમાં રૂપીયા ૪૦,૩૭૦ કરોડ જેટલી થવા પામેલ છે. આમ છેલ્લા દસ બાર વર્ષમાં રેવન્યુમાં ૪ ગણો વધારો થયેલ છે. વીજકંપનીના વિકાસમાં કર્મચારીઓ અને અધિકારીઓ નો સિંહફાળો રહ્યો છે.અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં જીયુવીએનએલ દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેથી જીબીઆને નાછૂટકે લડતનો માર્ગ અપનાવવો પડ્યો છે.જેથી આગામી આંદોલનથી ગ્રાહકોને મુશ્કેલી પડશે તો તેની સંપૂર્ણ જવાબદારી જીયુવીએનએલની રહેશે તેમ પણ જણાવ્યું છે.(૨૧.૨૩)

 

(1:10 pm IST)