Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

વિસાવદરના નવી ચાવંડ ગામે ખુમાણ પરિવાર દ્વારા ૧૮મીથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

સ્વર્ગસ્થ ખુમાણ ભુપતભાઇ તથા સર્વે પિતૃઓના મોક્ષાર્થે અનેરૂ આયોજનઃ પૂજનીય સંતો પૂ.ગોપાલાનંદજીબાપુ, પુ.જીવરાજબાપુ, પૂ.શેરનાથબાપુ, પૂ.મુકતાનંદબાપુ, પૂ.ગિરીનારીગીરીજીબાપુ, પૂ.રામસ્વરૂપદાસજીબાપુની દર્શનિય ઉપસ્થિતી રહેશે

વિસાવદર તા.૧૫: તાલુકાના નવી ચાવંડ ગામે ખુમાણ પરીવારના બાબુભાઇ (જયરાજભાઇ) સામતભાઇ ખુમાણ દ્વારા સ્વ. દરબાર ખુમાણ ભુપતભાઇ બાબભાઇ (જયરાજભાઇ) તથા સર્વે પિતૃઓના મોક્ષાર્થે તા.૧૮ને રવિવારના રોજથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વકતા મહોદય તરીકે શાસ્ત્રીશ્રી મનિષભાઇ રાવલ (જુનાગઢ વાળા) વ્યાસપીઠ પર બીરાજમાન થઇ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

દેહશુધ્ધિ દેવસ્થાપન તા.૧૭ને શનીવારના રોજ સાંજે ૭-૦૦ કલાકે પોથી યાત્રા તા.૧૮ને રવિવાર સવારે ૯-૦૦ કલાકે, કપિલ પ્રાગટય તા.૧૯ને સોમવાર સાંજે પ-૩૦ કલાકે, નૃસિંહ પ્રાગટય તા.ર૦ના રોજ સાંજે પ-૩૦ કલાકે, વામન પ્રાગટય તા.ર૧ને સવારે ૧૦-૦૦ કલાકે, રામ પ્રાર્દુભાવ તા.ર૧ના બપોરના ૧ર-૦૦ કલાકે, કૃષ્ણ પ્રાગટય (નંદ મહોત્સવ) તા.ર૧ને સાંજે પ-૩૦ કલાકે, ગોવર્ધન મહોત્સવ તા.રરને સાંજે પ-૩૦ કલાકે, રૂક્ષ્મણી વિવાહ તા.ર૩ સાંજે પ-૦૦ કલાકે, કથા વિરામ તા.ર૪ને સવારે ૧૧-૦૦ કલાકે, વિષ્ણુ યાગ તા.ર૪ના રોજ બપોરે ૧-૦૦ કલાકે રાખેલ છે.

સપ્તાહમાં પ.પુ. શ્રી ગોપાલાનંદજીબાપુ - રાવતેશ્વર ધર્માલય-બિલખા, પ.પુ.સંતશ્રી શામજીબાપુ (સતાધાર ધામ) પ.પુ.શ્રી જીવરાજબાપુ (સતાધાર ધામ), પ.પુ. શ્રી શેરનાથબાપુ (ગિરનાર-જુનાગઢ) પ.પુ.શ્રી મુકતાનંદજીબાપુ (ચાંપરડા આશ્રમ), પ.પુ.શ્રી ગિરનારીગીરીજીબાપુ (બિલનાથ મહાદેવ-બિલખા), પ.પુ.શ્રી રામરૂપદાસજીબાપુ (ચેલૈયાધામ-બિલખા)ના સંતો મહંતો ઉપસ્થિત રહેશે.

(11:30 am IST)