Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ભાવનગરમાં આધારકાર્ડમાટેની કામગીરી બંધ કરતા રોષ

ભાવનગર, તા.૧૫ : આધારકાર્ડ સેન્ટર બંધ કરી દેવાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. અગાવ આધારકાર્ડ નીકળેલ છે,તેમા ઘણી જ ક્ષતિઓ રહી ગઇ છે. જેવી કે જન્મ તારીખ, અટક ફેર, સરનામા ફેરફાર,  નામ ફેરફાર, વગેરે સુધારા માટે હાલ માં ત્રણ જ સેન્ટર શુરૂ છે.

સરદારનગરમંા સિધુનગર સેન્ટર અઠવાડીયામાં બે વખત શરૂ હોય છે અન્ય સેન્ટર પર રોજના ૨૦ જાણાન  ટોકન આપવામા આવે છે તેમા પણ સેન્ટરનાં ઓપરેટરપોતાની મનમાની કરી રહ્યા છે.

વોર્ડ વાઇઝ નવા આધારકાર્ડ કાઢવા  તેમજ સુધારવા માટેનાં સેન્ટર શરૂ કરી શહેરની જનતાને  પડતી મુશ્કેલી નીવારવા કલેકટર ને રજુઆત કરાઇ છે.

(11:27 am IST)