Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ઉનામાં નવતર માર્ગ સલામતી જાગૃતિ

ઉના : આરટીઓ તથા ઉના પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતતા કેળવવા માટે નાટકોનુ આયોજન કરેલ. જેમાં કલાકાર નિતીન પરમાર, પાર્થ બારોટ, શ્રુતિ બારોટએ પોતાની કલા બતાવી અને લોકોને વચનો લેવડાવેલ હતા. આરટીઓ ઇન્સ્પેકટર પ્રશાંત માંગુકીયા તથા તેમના સ્ટાફ સાથે હાજરી આપેલ જયારે ઉના પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફીક પોલીસ પીએસઆઇ શ્રી ચુડાસમા, સોનિલસિંહ શિસોદિયા તથા ટીઆરબી જવાનોએ સહકાર આપેલ માર્ગ સલામતી જાગૃતિ માર્ગદર્શન આપવામાં આવ્યું તે તસ્વીર.

(11:39 am IST)