Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા નવયુવાનોને પ્રાર્થના સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં દ્રોણેશ્વર ગુરુકુલના ૧૨૦૦ છાત્રો

ઉના તા ; ૧૫, ઓસ્ટ્રલિયા સત્સંગ યાત્રામાં પધારેલ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલક્રષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ જોશી અને કોઠારી શ્રી નરનારાયણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે ઉના પાસેના દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના ૧૨૦૦ જેટલા છાત્રો અને શિક્ષકોએ, જમ્મુ કાશ્મીરના પુલવામામાં રિઝર્વ પોલીસના કાફલા પર આતંગી હુમલો થવાને કારણે આપણા ૪૨ જેટલા નવયુવાન સૈનિકો શહીદ થતાં તેમના આત્માની શાંતિ માટે તથા તેમના કુટુંબીઓને ધીરજ અને આશ્વાસન મળે તે માટે પ્રાર્થના અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

                                                                                 

 

(12:56 pm IST)