Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

જુનાગઢમાં ડો. તોગડીયાના હસ્તે મુષ્ઠી ધાન યોજનાનો પ્રારંભઃ ૧૦૦૦ ઘરોમાં અનાજનું વિતરણ કરાશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૩ :.. જુનાગઢ જોષીપરા વિસ્તારમાં આવેલ સિધ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ કાર્યકર્તાની બેઠકમાં જયસુખભાઇ બુટાણી રાજુભાઇ રાઠોડ, કૌશિક ગજેરા, સુરેશ બજાણીય ગોરધનભાઇ ચૌહાણ તેમજ એએચપીના શહેર અધ્યક્ષ અરવિંદભાઇ સોની તેમજ જીજ્ઞેશ આજકીયા પ્રતિક હિરપરા ગૌરવ સુખાનંદી, આશિષ લોઢીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદા આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ માનીય ડો. પ્રવિણભાઇ તોગડીયા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ - જુનાગઢ દ્વારા આયોજીત હિન્દુ સંમેલન તેમજ ત્રિશુલ દીક્ષાના  કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જૂનાગઢ ખાતે ૧પ૧ કાર્યકર્તાઓને ત્રિશુલ દીક્ષા તેમજ માર્ગદર્શન આપેલ અને સાથે સાથે આંતર રાષ્ટ્રીય  હિન્દુ પરિષદની હર હિન્દુ કો ખાના હર હિન્દુ કો રોજગારના નારા સાથે મુષ્ઠી ધાન યોજનનો શુભારંભ કરાવેલ. આગામી સમયમાં મુષ્ઠી ધાન યોજનામાં જૂનાગઢના ૧૦૦૦ ઘરો સુધી થેલી વિતરણ કરી અનાજ એકત્રીત  કરી જરૂરીયાતમંદ હિન્દુ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવશે.

(3:48 pm IST)