Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

બાવળામાં ૨ દિ' પહેલા ફાયરીંગમાં મૃત્યુ થયેલ ૨ યુવાનોની પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા નીકળી

ઈજાગ્રસ્ત અન્ય ૩ વ્યકિતઓ સારવારમાં: નાસી ગયેલ આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ

વઢવાણ, તા. ૧૫ :. બાવળા-બગોદરામાં બે દિવસ પહેલા જમીન મુદ્દે બે અલગ અલગ જુથ્થો વચ્ચે ધમસાણ ધિંગાણુ ખેલાતા ફાયરીંગમાં મહેશ ઉર્ફે ભોલો તથા રણજીત દેવાભાઈ (ઉ.વ. ૨૪) બન્ને યુવાનોના ફાયરીંગની ઘટનામાં મોત નિપજ્યા હતા ત્યારે આ બન્ને યુવકોની સ્મશાનયાત્રા પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે નિકળેલ હતી. ત્રણ વ્યકિતઓ ઘાયલ થયા હતા જેઓને અમદાવાદ સિવીલમા સારવાર આપવામાં આવેલ છે. હત્યારા હત્યા કરી - ફાયરીંગ કરીને હાલમાં નાસી છુટયા છે ત્યારે હાલમાં ગામમાં પોલીસના ધાડા વચ્ચે ચૂસ્તપણે બંદોબસ્ત હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. જમીન બાબતે ઝઘડો થયો છે અને આ જમીન મામલામાં બે જુથ વચ્ચે અથડામણ થયેલ છે. જેમા ફાયરીંગ કરાતા બે યુવાનોના જીવ ગયા છે. ત્રણ સારવારમાં હોવાનું જાણવા મળેલ છે.

(3:34 pm IST)