Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી સ્વાઇન ફલૂનો કહેરઃ ધ્રાંગધ્રાના આધેડ યાસિનભાઇ બેલીમનું મોત

સ્વાઇન ફલૂનો રિપોર્ટ આવતા અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું

સુરેન્દ્રનગર તા. ૧૫ : સુરેન્દ્રનગર જીલ્લામાં હાલ રોગચાળો વકર્યો છે. સુરેન્દ્રનગર જીલ્લામાં સ્વાઇન ફલૂ અને મેલેરિયા અને અન્ય કેટલાક રોગોમા નોધપાત્ર વધારો થયો છે. સુરેન્દ્રનગર જીલ્લામાં હાલ તમામ ખાનગી સરકારી હોસ્પિટલમાં રોગચાળાના કારણે દર્દીઓથી ભરાય ગઈ છે.

સુરેન્દ્રનગર જીલ્લામા સ્વાઇન ફલૂએ માજા મુકી છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા એક માસમા પાંચથી વધુ સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસ દાખલ થયા છે. ધ્રાંગધ્રા, વઢવાણ અને આજુ બાજુના તાલુકાઓમા સ્વાઇન ફલૂ ના હાલ શિયાળા ની ઋતુ દરમિયાનન અનેક પોઝિટિવ કેસ દાખલ થયા છે. ત્યારે થોડા સમય પહેલા સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામા એક મુસ્લિમ પરિવાર ના મોભી અને પોતે ટેકસી ડ્રાઈવર તરીકે કામ કરતા મુનાભાઈ (યાસીનભાઈ) બેલીમ સ્વાઇન ફલૂના ભરડામા સપડાયા હતા.

મુનાભાઇને તેમના પરિવાર દ્વારા હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. હોસ્પિટમાં મુનાભાઈ (યાસીનભાઈ) બેલીમ (ઉ.વ.૫૦)નો રિપોર્ટ કરવામા આવતા તેમણે સ્વાઇન ફલૂ પોઝિટિવ આવ્યો હતો. યાસીનભાઈને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગરની હોસ્પિટલમાંથી તેમના પરિવારજનોને યાસીનભાઈને તાત્કાલિક ધોરણે અમદાવાદની સારી હોસ્પિટલમાં ખસેડવા સલાહ આપવામા આવી હતી.

યાસીનભાઈને તેમના પરિવારજનો દ્વારા અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટમાં સ્વાઇનફલુ શંકાસ્પદ આવતા પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. યાસીનભાઈને અમદાવાદ ખાતે સ્વાઇન ફલૂ પોઝિટિવની વધુ અસર થતાં તેમનું મોત નિપજયું હતું.

સુરેન્દ્રનગર જીલ્લામા સ્વાઇન ફલૂના કેસો મા વધારો થયો છે ત્યારે આ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામા ભાર્ગવી સોસાયટીમા વસવાટ કરતા અને પોતે સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા ટેકસી ચલાવવા અને પરિવાર ના મોભી યાસીનભાઈ બેલીમ ઉર્ફે મુન્નાભાઈનું સ્વાઇન ફલૂ કારણે અવસાન થતાં સમગ્ર પંથક અને પરિવારમાં શોક વ્યાપી ગયો છે.(૨૧.૧૨)

(11:43 am IST)