Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

જામજોધપુર-ધુનડાનાં પૂ. જેન્તીરામબાપાની ઉપસ્થિતીમાં વલસાડમાં લોકડાયરો :

જુનાગઢ :.. વાગલધારા સિધ્ધાશ્રમ શકિત સેન્ટર વાગલધારા વલસાડ ખાતે શ્રી રાજરાજેશ્વર ગુરૂજી દ્વારા લોકડાયરાનું આયોજન કરાયુ હતું જેમાં ઉપરોકત તસ્વીરોમાં કાર્યક્રમમાં દિપ પ્રાગટય વિધી કરતા ધુનડા સતપુરણધામ આશ્રમના સંસ્થાપક પુ. જેન્તીરામબાપા, પૂ. રાજરાજેશ્વરગુરૂજી મુંબઇના બ્રહ્મચારી દેવેન્દ્રભાઇ જૈન તેમજ શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય સહિત વિવિધ ધર્માલયોના સંતો - મહંતોની ઉપસ્થિતીમાં લોકડાયરો યોજાયો હતો જેમાં લોક ગાયિકા ગીતાબેન રબારી એ સંતવાણીના સુર રેલાવી સૌને મંત્રમુગ્ધ કરી દિધા હતાં. આ પ્રસંગે પૂ.રાજરાજેશ્વરગુરૂજીનુ પૂ. જેન્તીરામબાપાએ સન્માન કર્યુ હતું તેમજ ગીતાબેન રબારીનું સાલ ઓઢાડી સન્માન કરતાં. રાજરાજેશ્વર ગુરૂજી સહિતના સંતો-મહંતો તેમજ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, રેન્જ આઇપી રાજકુમાર પાંડિયન, એસપી સુનિલ જોષી, ડીવાયએસપી વી. એન. પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : વિનુ જોષી -જૂનાગઢ) (પ-રર)

(12:08 pm IST)