Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

સાવરકુંડલાના આંબરડી ગામે દાદાબાપુની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

 સાવરકુંડલાના આંબરડી ગામે વ્‍યસન મુક્‍તિ આંતરિક સમાધાન અને ગૉસપાકની નિયાજનો કાર્યક્રમ દાદાબાપુ કાદરીની હાજરી માં યોજાયો હતો. વ્‍યસન મુક્‍તિ અને સમાધાન મિશનને વધુ મજબૂત કરવા માટે પીર સૈયદ દાદાબાપુ કાદરી હાજરી માં આંબરડી ગામના મુસ્‍લિમ બિરાદરો એ પાન .બીડી. માવો વિગેરે પ્રકારના નાના મોટા અને જૂના વ્‍યસન થી લોકો વ્‍યસન મુક્‍તિ બનતા તેમજ નાના મોટા જગડા ના લીધે વાંધો તકરાર અબોલા અને વિવાદ હતો તે વિવાદને તિલાંજલિ આપી સમાધાન કરવા માં આવેલ હતું અને સાથો સાથ મોટા પીરનો અગિયારમી શરીફ નો મહિનો ચાલતો હોય તેથી ગૉસ પાકની નિયાજનો પ્રોગામ રાખવા માં આવેલ હતો  આ પ્રોગામ માં પીર સૈયદ દાદાબાપુ કાદરી ખૂબ જ વ્‍યસ્‍થ હોવા છતાં પણ  હાજર રહ્યા હતા તેમજ પીર સૈયદ બસીરબાપુ કાદરી. હાફિઝ અહમદ વિગેરે સાદતે કિરામ ઉલમાં એ કિરામ તેમજ ગ્રામજનો મોટી સંખ્‍યા માં હાજર રહેલા હતા . આયોજક મુંબઈ વાળા સરફરાજભાઈ રેમાંન ભાઈ સલીમભાઈ રેમાન ભાઈ તથા સજીદભાઈ રેમાંનભાઈ તેમના મામા શેખડા અલારખાભાઈ નાનજીભાઈ રજાકભાઈ તેમજ આંબરડી વાળા બધાના સહયોગ થી કાર્યક્રમ કરવા માં આવેલ હતો. આયોજન હાફિઝ સાદિકે કરેલ હતું.

 

(12:05 pm IST)