Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

લખતર પાસે અકસ્‍માતમાં ૨ પોલીસ કર્મચારીના મોતથી અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧૪ :  લખતરના ઝરમ ગામ પાસેના રોડ પરથી શંકરભાઈ ઓલકિયા, સરદેવ ગળથરા નામના પોલીસકર્મી બાઇક પર જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્‍તા પર બાઇકની સામે રોઝ આવી જતા બાઈકને ટક્કર વાગી હતી. જેમાં બંને પોલીસકર્મીઓનાં કરૂણ મોત થયા હતા. આ અકસ્‍માતની જાણ થતા સ્‍થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 આ બંને યુવાનો ગાંધીનગર ટ્રેનિંગ સેન્‍ટરમાં ફરજ બજાવતા હતા અને સુરેન્‍દ્રનગર ખાતે મુદતમાં આવ્‍યા આવવાનું જણાવવામાં આવ્‍યું છે અને મુદત પતાવી અને પરત ફરતી વખતે આકસ્‍માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્‍યારે અકસ્‍માતમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવતા સહદેવ ભાઈ કડવાભાઈ તેમજ શંકરભાઈ ભગવાનભાઈ બંને પોલીસ કર્મચારીઓના ગંભીરજા સાથે ઘટના સ્‍થળે મોતની પત્તા પોલીસ બેડા માં પણ ભારે શોખ ની લાગણી છવાઈ જવા પામી હતી જ્‍યારે તાત્‍કાલિક અસરે સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશભાઈ દુધાત તેમજ સુરેન્‍દ્રનગર જિલ્લા ડીવાયએસપી એચપી દોશી પણ ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને પરિવારજનોને સાતવાસન પાઠવી હતી અને ભારે વલોપાત ફરિયાદ રચ્‍યો સામે આવ્‍યા હતા ત્‍યારે જંગલી જાનવર તેમના બાઈકના આડે ઉતરતા આ ઘટના બની હતી અને બંનેના મોત નીપજ આવવાનું બહાર આવ્‍યું હતું

જ્‍યારે બંનેના પીએમ માટે લખતર પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો લખતર સાર્વજનિક હોસ્‍પિટલ ખાતે બંનેને પીએમ માટે લઈ ગયો હતો અને બંનેના પીએમ ન થાય ત્‍યાં સુધી સાથે જોડાયેલો રહ્યો હોવાનું પણ જાણવા મળ્‍યું હતું.

(11:42 am IST)