Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ધનતેરસના શુભદિને દ્વારકાધીશ જગતમંદિરમાં ભાવિકો દ્વારા સુવર્ણ -ચાંદી અર્પણ

સુવર્ણજડિત મોતીનો હાર,અલ્કાવલી તથા ચાંદીનો થાળ અર્પણ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૧૪: દિપોત્સવી પર્વના ઉત્સવો પૈકી ધનતેરસના પાવન દિવસે દર વર્ષે દ્વારકાધીશ જગતમંદિરમાં ભાવિકો શ્રધ્ધાપૂર્વક સુવર્ણ -ચાંદી ઇત્યાદિ આભુષણો ચઢાવી ધન્યતા અનુભવે છે. આજરોજ ધનતેરસ નિમિતે દ્વારકાધીશના એક ભકત પરિવાર દ્વારા ઠાકોરજીને અંદાજિત ૧૦૦ ગ્રામ સુવર્ણ સાથેનો સુવર્ણજડિત મોતીનો હાર તથા અલ્કાવલી અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક ભકત દ્વારા ૮૦૦ ગ્રામ ચાંદીનો થાળ અર્પણ કરવામાં આવ્યો હતો. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:27 am IST)