Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જૂનાગઢમાં બીએસએનએલ કર્મચારીઓની રેલીઃ પ્રશ્નો ઉકેલવા માંગણી

 જૂનાગઢઃ બીએસએનએલનાં કર્મચારીઓ દ્વારા આજે વિવિધ માંગણીઓ મુદ્દે રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં સેટેલમેન્ટ ઓફ થર્ડ પે રીવીઝન, પેન્શન રીવીઝન,સહિતના મુદ્દે યોજાયેલી રેલીમાં ૧૦૦ થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ તકે ડી.કે. બકુત્રા, એ.એચ. રાઠોડ, ડી.એસ.તેરૈયા, એ.બી. વામવાણી, બી.આર. ભારાઇ, સહિતના જોડાયા હતા અને અણઉકેલ પ્રશ્નોનો ઉકેલ તા. ૩૦-૧૧-૧૮ સુધીમાં ન આવે તો અનિશ્ચિતકાલીન હડતાલની ચિમકી બીએસએનએલના કર્મચારીઓએ આપી હતી.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:46 pm IST)