Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જુનાગઢની લીલી પરિક્રમા માટે ઘોઘારોડથી બસ મળશે

ભાવનગર તા. ૧૪: આગામી દિવસોમાં જુનાગઢમાં યોજાનારી ગિરિમાળાની ફરતે પ્રદક્ષિણા (લીલી) પદયાત્રા માટે ભાવનગર શહેર ઉપરાંત જીલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ ભાવિકો જનાર હોય આ યાત્રિકોની સુવિધા માટે ભાવનગર એસ.ટી. ડેપો દ્વારા શહેરના ઘોઘા રોડ પર મકવાણા ઇલેકટ્રીક સ્ટોર ખાતેથી આગામી તા. ૧પ થી ૧૯ સાતમ, આઠમ, નોમ, દશમ એમ ચાર દિવસ સુધી સ્પેશ્યલ એસ.ટી. બસ મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે. આ બસ માટેનું બુકીંગ પણ મકવાણા ઇલેકટ્રીક સ્ટોર ખાતેથી કરી રાત્રીના સમયે આ સ્પેશ્યલ બસ ઉપાડવામાં આવશે. જેનો ભાવિકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(12:11 pm IST)