Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ગોંડલ લોહાણા મહાજન સમાજ દ્વારા પુજય જલારામબાપા જન્‍મજયંતિ મહોત્‍સવઃ પૂ.હરિચરણદાસ મહારાજની પૂજનવિધી

ગોંડલ, તા.૧૪: ગોંડલ લોહાણા મહાજન સમાજ દ્વારા પ્રતિ વર્ષ મુજબ પૂજય જલારામબાપાની જન્‍મજયંતી ઉજવવામાં આવી છે. આ તકે મહામંડલેશ્વર પૂજય હરિચરણદાસજી મહારાજ પૂજનવિધિ બાદ બપોરે ૩:૩૦ કલાકે લોહાણા મહાજનવાડીએથી વિશાળ શોભાયાત્રા નીકળશે જે શહેરના રાજમાર્ગો પર ફરી તડકોશી હનુમાનજી મંદિર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તેમજ જેલ ચોક ખાતે આવેલ શહીદ ભગતસિંહ ની પ્રતિમાને ફુલ હારતોરા કરી ભોજરાજપુરા ખાતે આવેલ જલારામ મંદિરે વિરામ લેશે.

શોભાયાત્રાના રૂપને સુશોભિત કરવામાં આવ્‍યા છે તેમજ રઘુવંશી યુવાનો દ્વારા ૫૧ મોટરસાયકલ સાથે સાફા બાંધી શોભાયાત્રાનું પાયલોટીંગ કરવામાં આવનાર છે સાથે સવારે ૧૧ થી ૨ દરમ્‍યાન લોહાણા મહાજનવાડી ખાતે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. સફળ બનાવવા પ્રમુખ દીપકભાઈ સોનપાલ ઉપપ્રમુખ મધુસુદનભાઈ તન્ના રમેશભાઈ કારીયા ચિરાગભાઈ સોનપાલ સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:51 am IST)