Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મોરબીના પરશુરામ ધામ ખાતે શનિવારે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ.

મોરબી : શ્રી પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૧૬ ને શનિવારે ૬ કલાકે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય જેથી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજવામાં આવશે

મંત્રી બ્રિજેશભાઈ મેરજાના સન્માન સમારોહમાં મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદજી, સાંસદસભ્ય રામભાઈ મોકરિયા ખાસ ઉપસ્થિત રહેશે જે સન્માન સમારોહમાં ભૂદેવોએ પધારવા પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાની યાદી જણાવે છે.

(6:53 pm IST)