Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

સિકકાના બે સગીર વયનાં બાળકો ઉપર અત્યાચાર ગુજારવાના કેસમાં પોલીસ સામે પગલા લેવા માંગણી

જામનગર જિલ્લાના સિકકા ગામે સગીર વયના મુસ્લિમ બાળકો પર થયેલા અત્યાચારના સંદર્ભમા પી.એસ.આઇ.અને ત્રણ કોન્સ્ટેબલ ડિસમીસ કરવા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ઝન્નર મહમદ અમીન હાજીનુરમામદે  ડીએસપીને એક પત્ર પાઠવી માગણી કરી છે. પત્ર દ્વારા એવી રજુઆત કરાઇ છે કે  કોઇ કેસમાં પોલીસે ત્રણ  શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં બે સગીર વયના હતા. આ બંને બાળકો ઉપર પોલીસે અત્યાચાર ગુર્જાયો હોય તાત્કાલીક જવાબદાર પીએસઆઇને ત્રણ કોન્સ્ટેબલને ડિસમીસ કરવા.

 

(11:38 am IST)