Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ગુજરાતમાં મોસમનો ૬૪.૪૪ ટકા વરસાદ પડયો

સ્ટેટ હાઇવે, નેશનલ હાઇવે અને પંચાયત હસ્તકના ૧૩૦ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા : મુખ્યત્વે જામનગર અને રાજકોટ જિલ્લાના માર્ગોનો સમાવેશ

ગાંધીનગર તા. ૧૪ : રાજયમાં અત્યાર સુધીનો કુલ વરસાદ ૫૪૧.૩૧ મી.મી. થયો છે. જે સરેરાશ વરસાદના ૬૪.૪૪ ટકા થયો છે. આજે સવારના ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતલબ કે ૧૨ કલાકમાં ૧૫ તાલુકાઓમાં ૧૦૦ મી.મી. વરસાદ થયો છે. તે પૈકી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ૫૦૪ મી.મી., રાજકોટ તાલુકામાં ૩૨૩ મી.મી., ધોરાજી તાલુકામાં ૨૦૮ મી.મી., કોટડા સાંઘાણી તાલુકામાં ૧૯૦ મી.મી., ગોંડલ તાલુકામાં ૧૬૬ મી.મી., પડઘરી તાલુકામાં ૧૭૦ મી.મી., જામ કંડોરણા તાલુકામાં ૧૩૧ મી.મી. તથા જામાનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં ૩૬૭ મી.મી. તથા જામનગર તાલુકામાં ૧૧૨ મી.મી. વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે રાજયના સ્ટેટ હાઇવે -૧૫, નેશનલ હાઇવે-૧ અને પંચાયત હસ્તકના ૧૩૦ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયા છે. જેમાં મુખ્યત્વે જામનગર અને રાજકોટ જિલ્લાના માર્ગ વ્યવહારને અસર થઇ છે.

જામનગર જિલ્લાના કાલાવાડ, જોડિયા, જામનગર ગ્રામ્ય, જામનગર શહેરના તાલુકાઓમાં જુદા જુદા કુલ ૮ ગામોમાં ફસાયેલા ૬૪ વ્યકિઓની બચાવ તથા સલામત સ્થળે ખસેડવાની જરૂરિયાત જણાંતા એરલીપ્ટ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં ૧૬ વ્યકિતઓને એરલીફટ કરીને સલામત સ્થળે ખસેડવામાં આયા છે. અને અન્ય ૪૮ વ્યકિતઓને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડયા છે. આ સિવાય જામનગર શહેરના નાગેશ્વર વિસ્તારમાં એરલીફટની કામગીરી ચાલુમાં છે.

ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ એન.ડી.આર.એફ.ની ૩ ટીમ જામનગર ડીપ્લોય કરવામાં આવી છે અને એસ.ડી.આર.એફ.ની ૨ ટીમ જામનગર જિલ્લામાં રવાના કરવામાં આવી છે. તથા વધુ ૫ ટીમ ભારત સરકાર પાસેથી મંગાવવામાં આવી છે. એસ.ડી.આર.એફ.ની મડાણા અને ગાંધીનગર ૨ ટીમ રાજકોટ માટે રવાના કરવામાં આવી છે. વધુમાં જામનગર શહેર ખાતે નેવીની ૨ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહી ધ્યાને લઇને અધિક મુખ્ય સચિવ ( મહેસુલ )ના અધ્યક્ષ સ્થાને વધુ અસરગ્રસ્ત જિલ્લા રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્રારકાના કલેકટર તથા સિંચાઇ, આઇ.એમ.ડી., ઇસરો, એનર્જી જેવા લાઇન ડીપાર્ટમેન્ટ સાથે વેબિનારથી મીટીંગ કરવામાં આવી હતી. જરૂર જણાયે કોસ્ટ ગાર્ડ તથા નેવી ડિપાર્ટમેન્ટની મદદ લેવા માટે પણ સંબંધિત જિલ્લા કલેકટરને જણાવવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં ૨૫૫૩, જામનગર જિલ્લામાં ૩૯૬૬, પોરબંદર જિલ્લામાં ૨૨૪, જૂનાગઢ જિલ્લામાં ૫ મળીને કુલ ૬૭૪૮ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.

રાજકોટ તથા જામનગર જિલ્લામાં છેલ્લાં ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ

જિલ્લો

તાલુકો

વરસાદ

જામનગર

કાલાવડ

૧૭૬ મી.મી.

જામનગર

ધ્રોલ

૧૬૫ મી.મી.

જામનગર

જોડિયા

૧૩૭ મી.મી.

જામનગર

જામનગર

૯૭૯ મી.મી.

રાજકોટ

લોધિકા

૧૩૬ મી.મી.

રાજકોટ

ગોંડલ

૧૨૪ મી.મી.

(11:54 am IST)