Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

હળવદની તક્ષશિલા સ્કુલ અને કોલેજના ડો.મહેશ નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્ટિસ્ટ સંસ્થાના મોરબી જિલ્લાના યુનિટ ડાયરેકટર બન્યા

હળવદ તા.૧૪ : વિજ્ઞાન પ્રસાર અને ડો. સી.વી.રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતના શિક્ષકોને શૈક્ષણિક નવોન્મેષ માર્ગદર્શન મળી રહે તે માટે નેશનલ કાઉન્સિલ ફોર ટિચર સાયન્ટિસ્ટ નામની સ્વૈચ્છિક સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા દ્વારા વિજ્ઞાન અને ગણિતના પ્રસાર અને પ્રચાર માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. તાજેતરમાં તક્ષશિલા સંકુલમાં અટલ ટિંકરિંગ લેબનુ ઉદ્દઘાટન અને ગુજરાતનો રાજય કક્ષાનો ટેકનોફેર યોજાયો હતો . ગત છ મહિના દરમિયાન સૂર્યગ્રહણ અંગેની ઓનલાઈન કિવઝના આયોજન, હળવદના  ખગોળશાસ્ત્રી ડો. જે. જે. રાવલ નું આકાશદર્શન અને ઈસરોના વૈજ્ઞાનિક ડો. જયંત જોષી સરનું સન્માન, રાજય કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા જેવી વિવિધ પ્રવૃત્ત્િ।ઓ ધ્યાનમાં લેતા ડો. મહેશ ગરધરિયાએ આયોજન કરેલ હતું.

આવા સમગ્ર શૈક્ષણિક પ્રદાનને ધ્યાનમાં લઈને મોરબી જિલ્લાની હળવદની તક્ષશિલા સ્કુલ અને કોલેજના મેનેજિંગ ડિરેકટર ડો. મહેશ ડાહયાભાઈ ગરધરિયાને સમગ્ર મોરબી જિલ્લાના યુનિટ ડાયરેકટ તરીકે પસંદગી કરવામાં આવી છે.ડો. મહેશ ગરધરિયા એ આવી સર્વશ્રેષ્ઠ જવાબદારી આપવા બદલ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર સાયન્ટિસ્ટ સંસ્થાના ચેરમેન અને ભારતના ગણિતશાસ્ત્રી ડો. ચંદ્રમૌલિ જોશી અને ગુજરાતના સ્ટેટ ડાયરેકટર ડો. મનોજ જવાણી નો આ તકે આભાર માન્યો હતો.

(11:50 am IST)