Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ગાંધીધામમાં પૈસાની લેતીદેતી બાબતે યુવાનની હત્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : ગાંધીધામની પીએસસેલ કારગો ઝૂંપડપટ્ટીમાં પૈસાની લેતીદેતીમાં ૨૨ વર્ષીય યુવાનને છરીના ઘા ઝીકવાના બનાવે ચકચાર સર્જી છે.

મહંમદઆલમ મહંમદસલીમ અનસારી નામના યુવાને પોતાની સાથે જ મજદૂરીનું કામ કરતા ૨૨ વર્ષીય કેસરી ગુલાબચંદ શર્માને છરીના ઘા ઝીંકયા હતા.

પૈસાના મુદ્દે થયેલ આ હુમલામાં ઘાયલ કેસરીને ભુજ ખસેડાયો હતો પણ સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. જેને પગલે પોલીસે મૃતક યુવાનના પિતાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.

(11:23 am IST)