Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોના કેસ વધતા કાલથી ગોંડલમાં ૮ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૪: ગોંડલ કોરોના હોટસ્પોટ બન્યું છે અને પોઝીટીવ કેસ એક હજારને પાર કરી ચુકયો હોય મૃત્યુદર પણ ચોંકાવનારો હોય શહેરનાં વેપારી આગેવાનો, મહામંડળ, વિવિધ સામાજિક સંસ્થાઓ, નગરપાલિકાનાં પદાધિકારીઓ તથાં પ્રબુધ્ધજનોની ટાઉનહોલમાં મળેલ મિટીંગમાં કોરોના સંક્રમણને ખાળવાં તા.૧૫ મંગળવારથી આઠ દિવસ સુધી સાંજનાં ચાર પછી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. વેપાર ધંધા સવારે આઠથી સાંજનાં ચાર સુધી ખુલ્લાં રહેશે. સાંજનાં ચાર વાગ્યા પછી સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખવાં નિર્ણય લેવાયો છે. લોકડાઉનમાં માર્કેટ યાર્ડ તથાં નગરપાલિકા કચેરી પણ સંપુર્ણ બંધ રહેશે તેવું યાદીમાં જણાવાયું છે.

(9:51 am IST)