Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

જેતપુર તાલુકા કક્ષાના સ્વાતંત્ર્યદિનની ઉજવણી અમરનગર ગામે યોજાશે

નવાગામ, તા.૧૪: રાષ્ટ્રિય પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા કક્ષાની ઉજવણી  અમરનગર ગામે કરવામાં આવશે.

આ કાર્યક્રમના આયોજનની બેઠક નાયબ કલેકટરશ્રી પુજા બાવડાના અઘ્યક્ષસ્થાને મળી હતી, જેમાં અમરનગર ગામે આયોજિત રાષ્ટ્રિય પર્વની ઉજવણીની વિગતો આપી હતી.

અમરનગર ગામે આ રાષ્ટ્રિય પર્વ પ્રસંગ સાથે સાથે વિધવા સહાય તથા જાતિ અને આવકના દાખલા આપવાની કામગીરી સ્થળ પર કરવામાં આવશે અને માઉન્ટ એવરેન્ટ સર કરનાર શ્રી વિમલ વાગડીયા અને શ્રી મિલન વાગડીયાનું વિશેષ સન્માન કરાશે. મેડિકલમાં પ્રવેશ પામેલ અમરનગર ગામના વિદ્યાર્થી શ્રી ધાર્મિક વસાણી,શ્રી વત્સલ જોશી,શ્રી ભાર્ગવ પાદ્યડારનું સન્માન કરાશે. સખી મંડળની લોન મંજૂરી પત્ર વિતરણ,સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત યોજાયેલ સ્વચ્છ પી.એચ.સી. અને આંગણવાડીઓમાં શ્રેષ્ઠ પી.એચ.સી. અને આંગણવાડીને પુરષ્કાર અર્પણ કરાશે.

અમરનગર ખાતે થનારી આ રાષ્ટ્રિય પર્વની અન્વયે આયોજિત સાસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થવા જેતપુર તાલુકાના પ્રજાજનોને વહીવટી તંત્ર વતી મામલતદાર શ્રી કારીયા દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

(1:15 pm IST)