Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ઉના : રહેણાંક મકાનમાં નાગ-નાગણી

ઉના : વાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં નાગ નાગણી નીકળતા સર્પ પ્રેમી અશોકભાઇ ચૌહાણે પકડીને જંગલમાં છોડી દીધા હતા. અશોકભાઇ છેલ્લા ૨૦ વર્ષથી ઝેરી, બિન ઝેરી સર્પને પકડી તથા અજગરને પકડી સલામત જંગલ વિસ્તારમાં છોડી જીવદયા પ્રવૃતિ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૩ હજારથી વધુ સર્પ તથા ૧૨ થી વધુ અજગર પકડેલ છે. તેમણે લામધારના પાટીયા પાસે દેવશીભાઇ હમીરભાઇ બાંભણીયાની વાડીના રહેણાંક મકાનમાં નાગ અને નાગણી આવેલ હોય અશોકભાઇને જાણ કરતા તુરંત પહોચી અને આગવી કુનેહથી અત્યંત ઝેરી નાગ અને નાગણીની જોડીને પકડી ડબામાં પુરી લોકોને ભયમુકત કરી જંગલમાં જીવતા છોડી મુકયા હતા તે તસ્વીર.

(11:35 am IST)