Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સુરેન્દ્રનગરમાં ૧૦ કોરોના દર્દીઓ સ્વસ્થ થતા ઘરે જવા હર્ષથી ઝૂમી ઉઠ્યા

સુરેન્દ્રનગર,તા.૧૪:સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાંજણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગરના વતની ઇશ્વર ચાવડા, અરૂણાબેન પારેખ, સકીનાબેન કોઢી, જયેશભાઇ ઠાકર, ગુલાબભાઇ મયુદીનભાઇ, અનવરભાઇ પરમાર, દિનેશભાઇ ટોળીયા, જાનવીબેન જાયમલભાઇ, જયરાજભાઇ શેઠ અને સુરજબેન પરમારને ગત દિવસોમાંઙ્ગઙ્ગકોરોનાઙ્ગઙ્ગવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ - સુરેન્દ્રનગર ખાતે તેમની સદ્યન સારવાર બાદ આ દસ દર્દીઓને તાવ,ઙ્ગશરદી,ઙ્ગખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૧૩ જુલાઇ -૨૦૨૦ ના રોજ કોવિડ હોસ્પિટલ- સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે.

(11:29 am IST)