Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

અન્ય જિલ્લાના કોરોનાના દર્દીઓને સુરેન્દ્રનગર લાવવાનો કારસો! : કૉંગ્રેસ આગેવાનના આક્ષેપ

વિરમગામના દર્દીને સારવાર માટે અન્ચ જિલ્લામાં કેમ લવાયા? :રાતનાં અંધારામાં બસોની બસો ભરીને લોકો આવે છે.

સુરેન્દ્રનગરનાં કૉંગ્રેસ અગ્રણીઓએ જિલ્લા વહીવટીતંત્ર પર વિરોધ દર્શાવીને અનેક આક્ષેપો લગાવ્યા છે. સુરેન્દ્રનગરનાં કૉંગ્રેસનાં અગ્રણીઓનો આક્ષેપ છે કે, અન્ય જિલ્લાના પોઝિટિવ દર્દીઓને સુરેન્દ્રનગર લાવવામાં આવે છે. આ જિલ્લામાં રાતનાં અંધારામાં બસોની બસો ભરીને લોકો આવે છે. તેમને પૂછીએ કે રસ્તામાં તમારો કોરોનાનો કોઇ ટેસ્ટ થયો તો તેઓ ના પાડે છે. તો આ જિલ્લામાં કોરોનાના કેસ વધારવાનો તંત્રનો કોઇ કારસો લાગી રહ્યો છે
  સોમવારે વિરમગામમાંથી દર્દીને સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. તે 65 વર્ષિય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના 6 કલાકમાં મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે આવેલી 50 વર્ષિય પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જોકે, 21 વર્ષિય પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

 અત્રે ઉલેલ્ખનીય છે કે  આઘેડનો સગોભાઇ જેની સારવાર અમદાવાદ સિવિલમાં ચાલી રહી હતી તેનું પણ મંગળવારે મોડી રાત્રે મોત નીપજ્યું હતું. બંને ભાઇઓ 15 દિવસથી બીમાર હોવાથી વિરમગામના ખાનગી દવાખાનાઓમાં સારવાર લેતા હતા. જ્યારે એક સુરેન્દ્રનગર, બીજો અમદાવાદ ખસેડાયો હતો.

 આ ઘટના સામે આવતા સુરેન્દ્રનગરનાં કૉંગ્રેસનાં અગ્રણીઓએ સવાલો કર્યા છે કે, વિરમગામ કે અમદાવાદમાં હૉસ્પિટલ નથી તો કોરોનાના દર્દીઓને સારવાર માટે અહીં લાવવામાં આવે છે.

(1:23 pm IST)