Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જામનગર એનસીસીના કોરોના વોરીયર્સનું સન્માન

જામનગર કોરોના મહામારીમાં જામનગરમાં લાલ બંગલામાં એનસીસી ગ્રુપ હેડકવાર્ટરમાં તથા કેડેટસ જે વિવિધ પોઇન્ટ પર ફરજ બજાવી રહ્યા છે. તે સ્થળોએ પણ રૂબરૂ જઇ જામનગરની શ્રી સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ.સોસાયટીના પ્રમુખ સવજીભાઇ ચોવટીયા, ડાયરેકટર ભાણજીભાભઇ પાંભર તથા અન્ય ડાયરેકટર્સ તેમજ વિભાપરના શ્રી સરસ્વતી શિશુમંદિરના પ્રમુખ ભાણજીભાઇ પાંભર તથા સહનિયામક વિપુલાબેન વિરાણી, શ્રી સરસ્વતી વિદ્યાલયના ઉપાચાર્ય હિમાંશુભાઇ પરમાર દ્વારા ૧૭પ કીટ આપી એનસીસી ઓફીસર્સ તથા કેડેટસનું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી આ કીટમાં શ્રી સ્વામી વિવેકાનંદ તથા શ્રી ભગીની નિવેદીતાના જીવનચરિત્રના પુસ્તકો તેમજ મોમેન્ટો સામેલ કરવામાં આવ્યા હતા. બંને સંસ્થાના હોદ્દેદારોએ જામનગર એનસીસી ગ્રુપ હેડકાટર્સના ગ્રુપ કમાંડર કર્નલ કે.એસ.માથુર તથા અન્ય અધિકારીઓ તેમજ ૮ ગુજરાત એનસીસી નેવલ યુનિટના લેફટનન્ટ કમાંડર ચંદ્રેશ મિતલ, કમાંડીંગ ઓફીસર (કોવીડ ૧૯) નોડલ ઓફીસર) તથા પીઆઇ સ્ટાફ અને એએનઓ તેમજ આર્મી તથા નેવીના કેડેટસને સન્માનિત કર્યા હતા. (અહેવાલઃ મુકુંદ બદિયાણી-તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)(

(1:15 pm IST)