Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જુનાગઢના આઠ સેમ્પલના રિપોર્ટની પ્રતિક્ષા

કોરેન્ટાઇન લોકોની સંખ્યા ૧૫,૦૮૭

જુનાગઢ,તા.૧૪ : જુનાગઢ જિલ્લાનાં આઠ સેમ્પલનાં રિપોર્ટ આવવાનાં બાકી છે. તો કોરોન્ટાઇન લોકોની સંખ્યા ૧૫,૦૮૭ ઉપર પહોંચી ગઇ છે.

જુનાગઢ સીટીના ૪, ભેંસાણ ૩ , અને મેંદરડાનાં ૧ દર્દીનાં સેમ્પલ લઇ ભાવનગર મોકલવામાં આવેલ છે. આ તમામ સેમ્પલનાં રિપોર્ટ આજે આવવાની શકયતા છે.  જુનાગઢમાં એક, ભેંસાણ બે અને માંગરોળમાં એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ભેંસાણના બે દર્દી સ્વસ્થ થઇ ગયા છે. અને હજુ બે કેસ એકટીવ છે.

જુનાગઢ જિલ્લામાં કુલ ૧૫,૦૮૭ લોકો કોરેન્ટાઇન છે. જેમાં ૬૭૫૨ સ્ત્રી અને ૮૩૩૫ પુરૂષનો સમાવેશ થાય છે.

(11:43 am IST)