Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ભાજપે નૈતિકતાના ધોરણે શિક્ષણમંત્રીનું રાજીનામું લઈ લેવું જોઈએઃ કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ

ઉપલેટા, તા.૧૪: ગુજરાત હાઇકોર્ટમા છેલ્લા બે વર્ષ થયા ચાલતા રાજયના શિક્ષણ  મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી રદ કરવાની માગણી સાથે ની ritનો આજે હાઇકોર્ટે ચુકાદો આપી આ ચૂંટણીમાં ગેરરીતિ થયાનું માલુમ પડેલ જણાતા ચૂંટણી રદ કરવાનો હુકમ કર્યો હતો. આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા ઉપલેટા કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ એજણાવ્યું હતું કે ભાજપ પાસે નૈતિકતા જેવી કોઈ ચીજ છે જ નહીં જો ભાજપ પાસે નૈતિકતા જેવી ચીજ હોય તો મોવડી મંડળે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રીનુ રાજીનામું લઈ લેવું જોઇએ અને હાઈકોર્ટના ચુકાદાને માન આપવું જોઈએ

(11:37 am IST)