Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

વીરપુર જલારામથી ૧૧૮ પરપ્રાંતીય મજૂરો વતન જવા રવાના :

વીરપુર (જલારામ): ખેત મજુરી તેમજ છૂટક મજૂરી કરવા આવેલ મધ્યપ્રદેશના ૧૧૮ જેટલાં મજૂરોને પોતાના માદરે વતન જવા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જે તમામ મજૂરોનું વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટિમ દ્વારા તમામની આરોગ્ય તપાસણી કરીને બાદ તમામને વતન જવાની મંજૂરી પ્રશાસને આપીને વીરપુર થી રાજકોટઙ્ગ સુધીની ત્રણ બસની વ્યવસ્થા કરી અને રાજકોટ થી ટ્રેનમાં જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી,આ ત્રણ બસોમાં ૧૧૮ જેટલા મજુરો સાથે બે-બે સરકારી અધિકારીઓ સહિત આજે વતન જવા રવાના કરાયા હતા. તે તસવીરો.

(10:38 am IST)