Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

સૌરાષ્‍ટ્રના વ્‍હોરા બિરાદરો આજે રાતભર પોતાના ઘરે ઇબાદત કરશે

જસદણ તા. ૧૪ : સમગ્ર મુસ્‍લિમ સમાજમાં હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્‍યારે આજે ગુરૂવારે મિસરી કેલેન્‍ડર મુજબ દાઉદી વ્‍હોરા સમાજમાં બાવીસમું રોઝુ છે. હાલ કોરોના વાઇરસથી લોકડાઉન સરકારના આદેશ મુજબ  મુસ્‍લિમો પોત પોતાના ઘરોમાં જ રમઝાનમાસના ધાર્મિકકાર્યો કરી રહ્યા છ.ે

સૌરાષ્‍ટ્રના રાજકોટ-જામનગર-પોરબંદર-અમરેલી-પોરબંદર-બોટાદ-મોરબી-સુરેન્‍દ્રનગર-દેવભૂમિ દ્વારકા-ગિરસોમનાથ-ભાવનગર-જુનાગઢ-જસદણ સહિતના ગામોના વ્‍હોરા બિરાદરો દેશ ને દુનિયા સાથે ગુરૂવારે પોતાના ઘેર પોતાના પરિવાર સાથે સૂર્યોદયથી સૂર્યાસ્‍ત સુધી સોશ્‍યલ ડિસ્‍ટરન્‍સ જાળવી અલ્લાહની બંદગી કરશે ઇસ્‍લામ ધર્મમાં પવિત્ર લેખાતી રાતો પૈકી લઇ લતુલકદ્ર રાત્રી ગુરૂવારે હોવાથી રોઝદારોમાં ઉત્‍સાહ બેવડાયો છે.

દરવર્ષે આ રાતમાં વ્‍હોરા મસ્‍જિદોમાં નયનરમ્‍ય રોશની અને ફુલોથી શણગાર થતો હોય છે પણ આ વર્ષે વિશ્વભરમાં કોરોના વાઇરસએ હાહાકાર મચાવતા દાઉદી વ્‍હોરા સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચ્‍ય ધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસસાદીક આલિકદર મુફદલ સૈફુદ્‌ીન સાહેબએ (તઉશ) કેન્‍દ્ર અને રાજય સરકારના આદેશ મુજબ નિયમોનું ચુસ્‍તપણે પાલન કરવાનો આદેશ કરતાં લાંબા સમયથી વ્‍હોરા મસ્‍જિદો બંધ હોવાથી બિરાદરો હાલ ઘરોમાં જ ઇબાદત કરવાની સાથે દાન પુણ્‍ય કરી રહ્યા છે અને પાક રમઝાનમાસ પસાર કરી રહ્યા છે.

જોગાનુજોગ ગુરૂવારની રાત્રીમાં જ તાજદાર માનવતાવાદી ડો. સૈયદના સાહેબની ૭૭મો જન્‍મદિવસ હોય એટલે સોને પે સુહાગા જેવો ઘાટ ઘડાયો છે વિશ્વમાં કોરોના વાઇરસ હટી જેટલા દર્દીઓ છે તેઓની તબિયતમાં સુધારો થાય દેશ રાજયની પ્રગતિ હજુ વધુ થાય અને ડો. સૈયદના સાહેબના સ્‍વાસ્‍થ્‍ય અને દીર્ધાયુ માટે આજે આ રાતમાં સૌરાષ્‍ટ્ર સહિત વિશ્વમાં લાખો વ્‍હોરા બિરાદરો ઇબાદત બાદ દુઆ પ્રાર્થના કરશે.

આજે રાત્રીના લઇ લતુલકદ્ર પવિત્ર રાત્રીની બંદગીને લઇ બિરાદરોમાં અનેરો આનંદ છવાયો છ.

(10:20 am IST)