Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

વાંકાનેરનાં લેબોરેટરી ટેકનીશ્યન સહિત તમામ રિપોર્ટ નેગેટિવ :તંત્રને હાશકારો

 

વાંકાનેર ની અરુણોદય સોસાયટી નાં પોઝિટિવ દર્દી નાં સંપર્ક માં આવેલ લેબોરેટરી ટેકનીશ્યન સહિત તમામનાં રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર અને શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

ગ્રીન ઝોન વાંકાનેર માં બે દિવસ પૂર્વે અરુણોદય સોસાયટી નાં ૬૨ વર્ષિય પુરુષ ને કોરોના પોઝિટિવ આવતાં દોડધામ મચી ગઈ હતી, અને તેના સંપર્ક માં આવેલ બે નામાંકિત તબીબો સહિત લેબોરેટરી ટેકનીશ્યન ને પણ હોમ કોરોન ટા કરાયા હતાં,જેમાં " ઓમ " લેબોરેટરી નાં સંચાલક રાજેન્દ્ર સિંહ પ્રભાત સિહ જાડેજા, રહે. દિગ્વિજય નગર પેડક વાંકાનેર અને લેબ નાં મહિલા આસી. ધારા બેન જયંતીલાલ રાંચ્છ રહે. ઠક્કર શેરી વાંકાનેર બન્ને નાં પણ રિપોર્ટ આજરોજ નેગેટિવ આવતા તંત્ર રાહત નો દમ લીધો હતો, સાથે દિગ્વિજય નગર વિસ્તાર માં પણ લતાવાસીઓ માં રાહત ની લાગણી છવાઈ ગઈ હતી.

(9:45 am IST)