Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

રાહુલ ગાંધી અને પ્રિયંકાના સૌરાષ્ટ્રના કાર્યક્રમમાં ફેરફાર

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે ૧પ મી ઉપરાંત ૧૮મી ના બદલે ૧૮મી એ પણ સૌરાષ્ટ્રમાં કેશોદ અથવા પોરબંદરમાં સભા ગજવશે.

આ ઉપરાંત નવો કાર્યક્રમ ઉમેરાયો છે, જેમાં ર૦મીએ બારડોલી, દાહોદ અને પાટણમાં પણ સભાઓ ગજવશે. જો કે પ્રિયંકા ગાંધી સોમનાથ અને અંબાજી મંદિરના દર્શન કરશે અને કોંગ્રેસ માટે ચુંટણી પ્રચાર કરશે તેવી શકયતા છે. રાહુલની ગુજરાતની બે દિવસની મુલાકાત હતી તેમા હવે એક દિવસનો ઉમેરો થયો છે ૧પમીએ અમરેલી, જુનાગઢ, અને ભાવનગરને અસર કરે તે રીતે રાજુલા નજીક આશરાણા ચોકડી ખાતેનું સ્થળ પસંદ કર્યુ છે.

પ્રિયંકા ગાંધી ૧૮મી એ ગુજરાત આવી રહ્યા છે તે અંબાજી મંદિરે દર્શન કરી ચુંટણી પ્રચારનો પ્રારંભ કરશે. પ્રિયંકા જાહેર સભા કરશે કે રોડ શોૃ કરશે તે હજી નકકી થયુ નથી પણ ઉતર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરે તેવી શકયતા છે.

 

(12:18 pm IST)