Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

જુનાગઢ દાતાર સેવક દિલીપસિંહ જાદવનું હિમાચલ પ્રદેશમાં હિમવર્ષામાં મૃત્યુ

વર્ષોથી જુનાગઢને સેવાની ભુમી બનાવનાર સેવકનાં નિધનથી પૂ. વિઠ્ઠલબાપુએ શોક વ્યકત કર્યો

જુનાગઢ, તા., ૧૪: જુનાગઢને સેવાની ભુમી બનાવનાર દાતાર સેવક દિલીપસિંહ જાદવનું હિમાલયમાં હિમવર્ષામાં મૃત્યુ થતા શોકનું મોજુ ફરી વળ્યું છે.

જુનાગઢ જિલ્લાના મેંદરડાના મનસુખલાલ ગાજીપરા,, ડો.ગોવિંદભાઇ ટાંક, કશેોદના ગોવિંદભાઇ લાડાણી તેમજ રાજકોટના અશોકભાઇ ધ્રુવ અને દિલીપસિંહ આત્મારામ વગેરેપામીને ગત ૧લી એપ્રિલે ઉતરાખંડની યાત્રાએ ગયા હતા.

આ દરમ્યાન હિમાચલમાં દહેરાદુન પાસે ૧૩ હજાર ફુટની ઉંચાઇએ બરફનું તોફાન થતા દિલીપસિંહ જાદવ સહિત ત્રણ યાત્રીકનું મૃત્યુ થયું હતું.

આ સમાચાર અહી પહોંચતા ઉપલા દાતારની જગ્યાના મહંત શ્રી વિઠ્ઠલબાપુએ શોકની લાગણી વ્યકત કરી મૃતકનાં પરીવારને આશ્વાસન આપ્યું હતું.

સ્વ.દિલીપસિંહ જાદવે જુનાગઢ રહીને સેવાની ભુમી બનાવી હતી અને દાતારનાં સેવક તરીકે સુવાસ ફેલાવી હતી.

(11:42 am IST)