Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

બગસરામાં શ્રીમદ વલ્લાભાચાર્યનો પ્રાગટય મહોત્સવ

બગસરામાં મોટી હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય પરમ પુજય પ્રભુજી મહારાજની અધ્યક્ષતામાં શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુના પ્રાગટય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત વૈષ્ણવ સમાજ ઉત્સવ સમિતિ દ્વારા સવારમાં પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. આ સાથે કુલપલના તથા રાજભોગના દર્શન મોટી હવેલી ખાતે યોજાયા હતા. વૈષ્ણવો માટે મહાપ્રસાદનુ઼ આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાંજના સમયે શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. જેમાં શહેરભરના વૈષ્ણવ જોડાયા હતા તેમજ શોભાયાત્રા બાદ સાંજના સમયે કેસર સ્નાન દર્શન તથા વધાઇ કિર્તન યોજાયા હતા. આ ઉજવણીમાં શ્રી ઉધ્ધવ લાલજી મેમોરિયલ ટ્રસ્ટ મહાલક્ષ્મી મહિલા મંડળ, તથા વૈષ્ણવ યુથ કલબની સહયોગ  સાંપડયો હતો.

(11:27 am IST)