Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

મોરબીમાં પિતાની યાદમાં પુત્રએ જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્‍પનું આયોજન કર્યું

મોરબી : સ્‍વર્ગસ્‍થ નિઝારઅલીભાઈ મુસાણીની યાદમાં તેમના પુત્ર વિપુલ એન. મુસાણી દ્વારા દર્દી નારાયણની સેવા કરવા મેડિકલ કેમ્‍પનું આયોજન કર્યું હતું. બોરિયા પાટી, રામજી મંદિર કેનાલ રોડ મોરબી ખાતે ડો.હસ્‍તીબેન મહેતાએ દર્દીઓનું વિનામૂલ્‍યે નિદાન કર્યું હતું. ડો. હસ્‍તીબેન મેહતાનો ૧૧૧ મો નિશુલ્‍ક કેમ્‍પ યોજાયો હતો. જેમાં દર્દીઓનું વજન કરી તપાસીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી, સાથે જરૂરિયાત મુજબ ડાયાબિટીસ, બ્‍લડ સુગર ટેસ્‍ટ ફ્રી તેમજ બીપી ચેકઅપ કરી આપવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પને સફળ બનાવવા માટે વોર્ડ નંબર-૧૧ના કાઉન્‍સિલર જશવંતીબેન પરમાર તેમજ વોર્ડ નંબર-૧૨ના કાઉન્‍સિલર જાદવ અવચરભાઈ તથા પરમાર ચુનીલાલભાઈ જહેમત ઉઠાવીને વધુ લોકોને લાભ લેવા પ્રોત્‍સાહિત કર્યા હતા. આ કેમ્‍પમાં સહાયક તરીકે રશ્‍મિન દેસાઈ, કોઠારીભાઈ, કૌશીકાબેન રાવલ તેમજ જીગર ભટ્ટે સેવા આપી હતી.

(1:54 pm IST)