Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

જુનાગઢમાં પ્રભુકૃપા સેવાયજ્ઞમાં જોડાવવા અપીલ

જુનાગઢ, તા.૧૪: જુનાગઢમાં પ્રભુકૃપા સેવાયજ્ઞના માધ્‍યમથી વિવિધ સેવાકાર્યો થઇ રહ્યા છે.

પ્રભુ કૃપા અને પ્રેરણાથી ઘણા સમયથી તહેવારોમાં મધ્‍યમ વર્ગના કુટુંબને અનાજ કીટ આપતા હતા. પણ હવે દર મહિને અનાજની કીટ બનાવીને મધ્‍યમ વર્ગના કુટુંબને આપીએ છીએ. આ ઉપરાંત દરરોજ ગાયને ઘાસચારો તેમજ દરિદ્રનારાયણને રોજ સાંજે પુરી કે થેપલા તે સુકીભાજીની સેવા તો ખરી જ...

હવે આ બધા કાર્યનો વિસ્‍તાર વધારવા અમો ચાર મિત્રોથી શકય નથી તેથી આપ જેવા મહાનુભાવોના સાથ અને સહકારની વસ્‍તુરૂપે (દાન)ની જરૂરત છે. આ સેવયજ્ઞમાં સાથ-સહકાર આપવા પ્રભુકૃપા સેવા યજ્ઞના મુખ્‍ય સેવક પરેશભાઇ બાટવીયા (૯૯૧૩૨૮૭૧૧૬) તથા જીતુભાઇ ઉનડકટ (૯૮૨૯૪૩૩૬૫૦) દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

(11:39 am IST)