Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ધ્રાંગધ્રા રાજવી પરિવારના જયસિંહજી (જયબાપા)નો ધામધુમથી રાજયાભિષેકઃ જોધપુર મહારાજા સહિત રાજવીઓની હાજરી

રાજકોટઃ ગઇકાલે ધ્રાંગધ્રા રાજ પરીવારના જયસિંહજી (જયબાપા)નો ધામધુમથી રાજયાભિષેક કરવામાં આવ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં જોધપુર મહારાજા ઉપરાંત વાંકાનેર, સાયલા, લીંબડી, ચુડા, ઉતેલીયા, બડી સાદડી, ટાણા, જૈનાબાદ, દસાડા, વડોદ, હડાળાના રાજપરીવારના સભ્યો ઉપરાંત ઝાલાવાડ રાજપુત સમાજના પ્રમુખ, લીંબડી માંગુજી શાખાના પ્રમુખ તેમજ સાયલા રાજપુત સમાજના પ્રમુખ શેષમલજી તેમજ સમાજના આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. (ફોટોઃ જયદેવસિંહ જાડેજા)

(3:52 pm IST)