Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

પોરબંદરમાં ૪ દિવસથી ગુમ કિશોરની મળેલી લાશનું જામનગરમાં પોસ્ટમોર્ટમ

શરીરે ઇજાના નિશાનોઃ અકસ્માતે મોત કે હત્યા?: પોલીસ તપાસ

પોરબંદર, તા., ૧૩:  ચાર દિવસથી ગુમ થયેલ ૧૭ વર્ષના શનિ દિલીપભાઇ ચુડાસમાની લાશ વનાણા ટોલ ટેકસ નાકા પાસે ગટર નજીકથી મળી આવેલ અને શરીરે ઇજાના નિશાન હોય તેને અકસ્માતે ઇજા કે શંકાસ્પદ હત્યાના કારણ જાણવા માટે લાશને જામનગર પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.એક વર્ષ પહેલા મરનાર કિશોરના મામાની લાશ ગાયત્રી મંદિર પાસે ગટરમાંથી મળી આવી હતી. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ યુ.બી.અખેડ તપાસ ચલાવી રહેલ છે. પીએમ રીપોર્ટ બાદ સાચુ કારણ બહાર આવશે.

(3:37 pm IST)