Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મીઠાપુર સુરજકરાડીમાં ઓએમજી ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ

 મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઔદ્યોગિક શહેર મીઠાપુર સુરજકરાડી ખાતે આશરે છેલ્લા ૩ વર્ષથી પણ વધુ એક ઓએમજી ગ્રુપ એટલે કે ઓખાઇ મેઘવાર ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જે સમાજ લક્ષી સારા કર્યો કરવામાં માટે ઓળખાય છે. તાજેતરમાં શિયાળામાં ઠંડીના વાતાવરણમાં આ ગ્રુપ દ્વારા રાત્રીના સમયે ભીક્ષુક લોકો કે જે ફુટપાથ પર રહેતા હોય જેમની પાસે ઓઢવા માટે પુરતી સગવડ ન હોય તેઓને ધાબળા ઓઢાડી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. આ ગ્રુપે મીઠાપુર આશાપુરા માતાજીના મંદિરે, રેલ્વે સ્ટેશન, જાહેર રસ્તાઓ, તાતા કંપનીના ગેટ વગેરે જગ્યાઓએ ભીક્ષુકોને ધાબળા વિતરણ કર્યુ હતું. (તસ્વીર - અહેવાલ : દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:45 am IST)