Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

વાંકાનેરનાં મગનભાઇ કારોડીયાને પુત્રવધુ-પુત્રીએ કાંધ આપી

વાંકાનેરઃ વીશીપરામાં રહેતા અને સમાજ સેેવક વેપારી અગ્રણી મગનભાઇ ઘરોડીયા (ઉ.વ.૮પ)નું તા.૧૧ ના અવસાન થતા દુઃખની લાગણી પ્રસરી પ્રસરી ગઇ છે. મગનભાઇ ઘરોડીયા વીશીપરા વિસ્તારમાં ફરસાણની દુકાન ધરાવતા હતા અને વાંકાનેર વીશીપરાના સ્મશાનમાં શુન્યમાંથી સર્જન કરેલ તેઓ લાકડા-બાંધકામ-વૃક્ષારોપણ-સફાઇની જવાબદારીઓ વર્ષો સુધી સંભાળતા હતા. પ્રજાપતિ જ્ઞાતિના વિકાસમાં અગ્રેસર રહેતા તેઓનું અવસાન થતા બજારો વીશીપરાની બંધ રહી હતી અને મોટી સંખ્યામાં જ્ઞાતિને વિસ્તારના લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. મગનભાઇને કાંધ તેઓના પુત્રવધુ અને પુત્રીએ આપી ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ. મગનભાઇએ વર્ષો સુધી જે સ્મશાનની સેવા કરેલ તેમાં અંતિમવિધિ કરવામાં આવેલ ત્યાં શોકસભામાં કાઉન્સીલર ભાટી એને મગન બાપાની સ્મશાન સેવાને બીરદાવી હતી. મગનભાઇને બે પુત્રે મનસુખભાઇ ઘરોડીયા તથા જીવરાજભાઇ ઘરોડીયા છે.

બેસણું તા.૧પને શુક્રવારે સાંજે ૪ થી ૬ પ્રજાપતિ જ્ઞાતિની વાડી, મીલ પ્લોટ વાંકાનેર ખાતે રાખેલ છે.

(12:03 pm IST)