Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ભાવનગરમાં અગીયાળી જૈન સંઘમાં સાકળી અઠ્ઠમની કુંભસ્થાપના

ભાવનગર : અહીંયા અગીયાળી જૈન સંઘમાં પૂ. ઇન્દ્રસેનસુરિશ્વરજી મા.સા.ની નિશ્રામાં અઠ્ઠમતપની આરાધના ચાલી રહી છે ત્યારે આવતા ર૦૧૮ના પોષદશમીના અઠ્ઠમ સુધી સતત આખા વર્ષ અમીઝરા પાર્શ્વનાથ દાદાની છત્ર છાયામાં સાકળી અઠ્ઠમ કરાવવામાં આવશે. જે નિમિતે વિશ્વસેનસુરિશ્વરજી મા.સા. તથા આરાધકોની ઉપસ્થિતિમાં સાકળી અઠ્ઠમની કુંભ સ્થાપના કરાઇ હતી. આ તકે પૂ. ઇન્દ્રસેનસુરિશવરજીએ જણાવેલ કે, અમીઝરા પાર્શ્વનાથ દાદાના સાકળી અઠ્ઠમ નિમિતે આખાયે વર્ષ દરમિયાન દરેકના ઘરે ઘરે અને ગામેગામ કરશે. સુવર્ણ કુંભ ઉપર અનેક તિર્થોના વાસક્ષેપની પૂજાનો મહામૂલો અવસર સૌને સાંપડશે. મંત્રોચાર સાથે કુંભ સ્થાપના કરાઇ હતી ત્યારે આવતીકાલથી થઇ રહી છે. (તસ્વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(11:40 am IST)