Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કોડીનારમાં બાળાની હત્યા કરનારાને સજા કરીને ન્યાય આપો : પડધરીમાં આવેદન

 પડધરી, તા. ૧૩ : કોડીનારના લોહાણા વેપારીની ૧૬ વર્ષની પુત્રી વિમાંશીની તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા તમામ સમાજ માટે આઘાતજનક છે.

આ બનાવમાં પોલીસ તાત્કાલીક તટસ્થ તપાસ કરી, ભોગ બનનારે દિકરીના પરિવારજનોને ન્યાય અપાવે તેવી માંગણી સાથે પડધરી રઘુકુળ અગ્રણી નવનીતભાઇ બુદ્ધદેવ, નિલેશભાઇ કોટક, હીરેનભાઇ જીવરાજાની, તુષારભાઇ કોટેચા, રાજપૂત સમાજ અગ્રણી મનુભાઇ ડોડીયા, દેવાભાઇ ડોડીયા, કલ્પેશભાઇ રાઠોડ, મહેશભાઇ ચૌહાણ, ક્ષત્રિય સમાજ અગ્રણી હરદેવસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ જાડેજા (બાર એસોસીએશન સેક્રેટરી), અશોકભાઇ રાઠોડ (પ્રમુખ કરીયાણા વેપારી એસો.) માલધારી અગ્રણી અને તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઇ બાંભવા, ન્યાય સમિતિ પૂર્વ ચેરમેન કાનજીભાઇ ચાવડા, સરદાર પટેલ સોશીયલ ગ્રુપ પ્રમુખ ડો. પી.જે. પીપળીયા, સોની સમાજ પ્રમુખ છોટાલાલ ફીચડીયા, પૂર્વ સરપંચ ડો. જી.એલ. વસાણી, કડવા પાટીદાર સમાજ અગ્રણી છગનભાઇ વાંસજાળીયા, બચુભાઇ સંતોકી દ્વારા મામલતદાર પડધરીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

(1:38 pm IST)