Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સાયલાના નડાળામાં ખુન કા બદલા ખુન

૩૫ વર્ષ પહેલા થયેલ જુથ અથડામણનો બદલો લેવા હત્યાઃ ફાયરીંગની ચર્ચા

વઢવાણ તા.૧૨: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નડાળામાં ''ખુન કા બદલા ખુન''નો બનાવ બનતા અરેરાટી વ્યાપી ગઇ છે.પ્રાપ્ત માહિતી મુજબ ૩૫ વર્ષ પહેલા એક જ જ્ઞાતિનાં બે જુથો વચ્ચે અથડામણ થઇ હતી જેમાં એક વ્યકિતની હત્યા કરવામાં આવી હતી.આ ઘટનાના ૩૫ વર્ષ બાદ અનકભાઇની પ્રતાપભાઇએ હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રતાપભાઇના કાકાનું ૩૫ વર્ષ પહેલાં અનકભાઇએ ખુન કર્યું હતું.અંગત અદાવતમાં ર થી ૩ રાઉન્ડ ફાયરીંગ અને તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી દીધા હતા. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:51 am IST)