Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

જામજોધપુરમાં મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા આમરણાંત ઉપવાસનો ત્રીજો'દિ

જામજોધપુર તા.૧૩: મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલકોના વિવિધ પ્રશ્નો જેવા કે દરમાસે નિયમિત માનદ વેતન આપવું, સંચાલકોને નિયમિત પેશગી આપવી, ઘઉં-ચોખા- મગદાળ, ચણા જેવો જથ્થો નિયમિત પુરતા પ્રમાણમાં આપવો વગેરે બાબતને લઇને જણાવેલ કે નરેન્દ્રશિવરામ પંડયા દ્વારા આમરણાંત ઉપવાસ પર ઉતરેલ છે. એમને આજે ૩જો દિવસ છે.

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા નરેન્દ્રભાઇ પંડયાને ગુજરાત રાજય મધ્યાહન ભોજન સંચાલ મંડળના હોદેદારો જામજોધપુર શહેર.. હોદેદારોવગેરે છાવણીની મુલાકાતે આવેલ નરેન્દ્રભાઇ પંડયા દ્વારા મામલતદાર કચેરી ખાતે રેકડી રાખી રેકડીમાં ઉપવાસ ચાલુ રાખેલ છે.

(12:00 pm IST)